મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE







મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (22) નામના યુવાને પોતે પોતાની જાતે યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને બનાવ બન્યો તે દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પત્ની જતી રહેલ હોય યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

મારા મારીમાં ઇજા

મોરબીના પાનેલી ગામ નજીક પાવર હાઉસ પાસે પ્રભુભાઈ લાલજીભાઈ ચાવડા (37) નામના યુવાનને રાજુભાઈ તળશીભાઇ ચાવડાની વાડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા દુર્લભજીભાઈ વસ્તાભાઈ અમૃતિયા (70) નામના વૃદ્ધ જેતપર ગામના તળાવ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News