મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE







ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું અવસાન થયું હોય તેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતા હતી જેના કારણે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની નજીક આવેલ વાડીના કૂવામાં પડીને તેણે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ જગોદરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કમલસિંહ ગુમાનભાઈ અજનારે (40) નામના યુવાને મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કુવામાં પડ્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરા કાન્હાભાઈ કમલસિંગ અજનારે (20) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું આશરે દોઢેક માસ પહેલા અવસાન થયું હતું જેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતામાં ગત તારીખ 14/1 ના સાંજના સમયે પોતે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કૂવામાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News