આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE













ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું અવસાન થયું હોય તેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતા હતી જેના કારણે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની નજીક આવેલ વાડીના કૂવામાં પડીને તેણે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ જગોદરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કમલસિંહ ગુમાનભાઈ અજનારે (40) નામના યુવાને મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કુવામાં પડ્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરા કાન્હાભાઈ કમલસિંગ અજનારે (20) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું આશરે દોઢેક માસ પહેલા અવસાન થયું હતું જેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતામાં ગત તારીખ 14/1 ના સાંજના સમયે પોતે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કૂવામાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News