મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE













તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન બાબતે અરજી લઈને પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા અને જગદીશભાઈ રમેશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ વર્કઆઉટ કરીને વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 22 જેટલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલા કે ચોરેલા હોવા અંગેની જે અરજીઓ આવી હતી તેમાં મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોને તેના કુલ મળીને 3,72,128 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #morbi #police






Latest News