મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE













તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન બાબતે અરજી લઈને પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા અને જગદીશભાઈ રમેશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ વર્કઆઉટ કરીને વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 22 જેટલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલા કે ચોરેલા હોવા અંગેની જે અરજીઓ આવી હતી તેમાં મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોને તેના કુલ મળીને 3,72,128 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #morbi #police






Latest News