મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા માટે તે મહિલાને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતા અવધૂતભાઈ ભુપતભાઈ સરૈયાના પત્ની રૂપલબેન સરૈયા (25એ ગત તા. 23 ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું જેથી તે મહિલાને ઝાડા ઉલટી થવા લાગતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મારામારીમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના રોહીદાસપરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોમાં રામજીભાઈ મોહનભાઈ આંબલીયા (63) તથા તેમના ભાઈનો દીકરો અને તેના પરિવારના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી કાંતિલાલ લાલજીભાઈ આંબલીયા (50)ને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News