મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન

મોરબીમાં મેડિકલ સારવાર માટે, ધંધા માટે કે પછી કોઈ કારણોસર લોકોને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોય છે અને ત્યારબાદ તે લોકો પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે તેમ છતાં પણ તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે જેથી આવા લોકોની રજૂઆતો સાંભળવા માટે અને જે લોકોને ખરેખર રૂપિયાની જરૂર હોય તેઓને બેંક મારફતે લોન મળે તે માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લોકો વ્યાજખોરના ચક્રમાં ફસાવવાના બદલે લોકો બેંકોમાંથી લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે.

મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી મંગળવારની તા. 24 ના રોજ મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવી હતી જે હોય એ જણાવ્યું હતું કે આ જનસંપર્ક સભાની અંદર મોરબી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા હોય તો તેઓની રજૂઆત સાંભળવામાં આવશે આટલું જ નહીં પરંતુ જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.






Latest News