મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ
Breaking news
Morbi Today

વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન


SHARE













વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય છે', અને આ વાક્યને વાંકાનેર IFT 108 ની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. એક ગંભીર મેડિકલ કટોકટીમાં 108 ની ટીમે 'ગોલ્ડન અવર'નો સચોટ ઉપયોગ કરી, મરણમુખમાં રહેલા એક માસૂમ શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી નવું જીવન આપ્યું છે.

વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. અલ્તાફ દ્વારા એક 'ક્રિટિકલ કોડ' જાહેર કરવામાં આવ્યો હતો. દયાબેન ગિરીષભાઈના શિશુનો જન્મ માત્ર 10 મિનિટ પહેલા જ થયો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. બાળકને જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ શુગર જેવી જોખમી સ્થિતિ હતી. બાળકની જિંદગી બચાવવા માટે તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવું અનિવાર્ય હતું. અને હોસ્પિટલથી મોરબી સુધીનો રસ્તોએ માત્ર મુસાફરી નહીં, પણ જીવન-મરણ વચ્ચેનો જંગ હતો. IFT વાંકાનેર 108 ના EMT પ્રવીણભાઈ મેરે જરા પણ વિચલિત થયા વગર ERCP ડૉ. જે.ડી. પટેલ સાથે સંપર્ક કરી ઓનલાઈન માર્ગદર્શન મેળવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ ઓક્સિજન સપોર્ટ શરૂ કર્યો હતો અને  ઓરલ દ્વારા જરૂરી D25 ટકા 5 એમએલ સારવાર આપી બાળકના વાઈટલ્સ મેઈન્ટેન કર્યા હતા. બીજી તરફ, એમ્બ્યુલન્સના પાયલોટ લાલજીભાઈએ પોતાની ડ્રાઈવિંગ કુશળતાનું પ્રદર્શન કરી, ટ્રાફિક વચ્ચેથી સમય મર્યાદામાં એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે મોરબી સિવિલ પહોંચાડી હતી મોરબી સિવિલના ડૉ. નીતિન સાહેબે 108ની ટીમની 'પ્રી-હોસ્પિટલ કેર'ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો ટીમે સમયસૂચકતા ન વાપરી હોત તો શિશુનો જીવ બચાવવો મુશ્કેલ હતો. ભાવુક બનેલા પરિવારજનોએ 108 ના જવાનોને 'સુપરહીરો' ગણાવી તેમનો આભાર માન્યો હતો.






Latest News