હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો
મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત
SHARE
મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ વિવાહ સાડીના શોરૂમની ઉપરના ભાગમાં આવેલ ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં બનેવીના ઘરે ગયેલા સાળાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે અને વાંકાનેરના રાણેકપર પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું છે આ અપમૃત્યુના બનાવોની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં જુના બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ વિવાહ સાડી શોરૂમ ઉપર આવેલ રહેણાક મકાનની ઓરડીમાં અંકિતભાઈ કાનાભાઈ મકવાણા (20) નામના યુવાને કોઈપણ કારણોસર ઓરડી ની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની ઋષિકાબેન કાનાભાઈ મકવાણા રહે. વિવાહ સાડીના શોરૂમની ઉપર ઓરડીમાં મૂળ રહે. ડોળાસા તાલુકો કોડીનાર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામની ખારી સીમ વિસ્તારમાં પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે રાહુલ (35) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની અલ્તાફભાઈ માથાકિયા (41) રહે. રાણેકપર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વાઘપર વિસ્તારમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર (46) નામનો યુવાન મોરબીના વજેપર ગામે આવેલ તેમના બનેવી કનૈયાલાલ બેચરભાઈના ઘરે હતો ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.