મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી


SHARE











વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પાડોશમાં રહેતા બે સગા ભાઈના ઘરની વચ્ચે દિવાલ આવેલ છે તેમાં પાણી આવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો ત્યારબાદ બંને પક્ષેથી મારામારી પણ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા જીઆઇડીસી પાસે દેવીપુજક વાસમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કંચનબેન ઝવેરભાઈ ભોજવિયા, ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, જયંતી રાયસીંગભાઇ ભોજવીયા, આકાશ જયંતીભાઈ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયા રહે. વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી બાજુમાં રહેતા તેના કાકા ઝવેરભાઈના ઘરની દિવાલમાં પાણી ઉતરતું હતું જે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા કંચનબેને જ્યોતિબેનને વાળ પકડીને પછાડી દીધા હતા અને ફરિયાદી તથા સાહેબ જ્યોતિબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝવેરભાઈએ ફરિયાદીને લાકડાના ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જ્યારે બાકીના ત્રણેય આરોપીઓએ સાહેદ રાજેશને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી વાંકાનેર નવાપરા દેવીપુજક વાસ પાસે રહેતા ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિબેન રાજેશભાઈ ભોજવિયા, દિનેશ કેશુભાઈ ભોજવીયા, કેશુભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, રાજેશ કેશુભાઈ ભોજવીયા અને રોહિત કેશુભાઈ ભોજવીયા રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની બાજુમાં રહેતા તેના ભાઈ કેશુભાઈના ઘરમાંથી તેઓની દીવાલમાં પાણી આવતું હતું જેથી કરીને પાણી ન આવે તે માટે ત્યાં સમારકામ કરાવવા માટે કહ્યું હતું જે આરોપીઓને સારું નહીં લાગતા જ્યોતિબેન અને દિનેશભાઈએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ભેગા મળી ઈંટના કટકાના છૂટા ઘા કરીને ફરિયાદી તથા સાહેદ મેહુલને મૂઢ ઇજા કરી હતી તેમજ પૂજાબેનને ઇંટનો છૂટો ઘા મારીને હાથની કોણી પાસે ઇજા કરી હતી તેમજ સંજયને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News