વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો
મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન
SHARE
મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન
હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.સુદર્શન ક્રિયા એ એક શક્તિશાળી, લયબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. 'સુ' એટલે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ અને 'ક્રિયા' એટલે શુદ્ધિકરણ. અર્થાત્ આ એક એવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે શરીર, મન અને ભાવનાઓને એક લયમાં લાવીને આંતરિક શાંતિ આપે છે
જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.૧૯-૫ થી તા.૨૪-૫ બપોરે ૩ થી ૬ ફ્લોરા અક્ષર સોસાયટી શોપિંગ, બીજા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા મો.૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડીયા મો.૯૯૨૫૧ ૦૮૪૨૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.