મોરબીમાં પોલીસનું કોમ્બીંગ: ગુનેગારોને ચેક કર્યા-ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો દંડાયા માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરી મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો મોરબી-વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા કુલ 3 શખ્સ પકડાયા: બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન


SHARE











મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન

હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.સુદર્શન ક્રિયા એ એક શક્તિશાળી, લયબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. 'સુ' એટલે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ અને 'ક્રિયા' એટલે શુદ્ધિકરણ. અર્થાત્ આ એક એવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે શરીર, મન અને ભાવનાઓને એક લયમાં લાવીને આંતરિક શાંતિ આપે છે

જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.૧૯-૫ થી તા.૨૪-૫ બપોરે ૩ થી ૬ ફ્લોરા અક્ષર સોસાયટી શોપિંગ, બીજા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા મો.૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડીયા મો.૯૯૨૫૧ ૦૮૪૨૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.






Latest News