મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત ​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 9 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી જળ વ્યવસ્થાપન માટે મોરબીના લક્ષ્મીવાસ ગામનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં કરાયું સન્માન મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ


SHARE











મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ
 
મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે, મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં પાસા કરવાના કેસો ધણા થાય છે.પરંતુ પોલીસ અધિકારી પાસાની દરખાસ્ત તૈયાર કરે ત્યારે આ દરખાસ્ત જીલ્લા કલેકટરની પાસે જાય છે અને જીલ્લા કલેકટર પાસે કામગીરીનું ભારણ વધારે હોય સમયસર પાસાની દરખાસ્ત મંજુર થવામાં વિલંબ થાય છે. ત્યાર સુધીમાં ગુનેગાર ફરી ગુના કરી બેસે છે.આથી જો આ સતા જીલ્લા પોલીસ વડા (એસ.પી.) ને આપવામાં આવે તો સમયસર પાસા કાર્યવાહી થઈ શકે અને પાસાના કેસનો ઝડપી નિકાલ આવે તેમજ નવા ગુના બનતા અટકી જાય તેમજ જીલ્લા કલેકટરના કામના ભારણમાં ઘટાડો થતા તેઓ પણ જીલ્લાની અન્ય મહત્વની કામગીરીમાં ધ્યાન આપી શકશે.અને જેતે અરજદારોના પ્રશ્ન વહેલી તકે નિકાલ થાય તો આ બાબતે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈ પાસાની સતા જીલ્લા પોલીસ વડાને આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
 
તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા જણાવેલ છેકે, પોલીસ ખાતાના કર્મચારીના મોનોગ્રામ જીલ્લા વાઇઝ અલગ રાખવા જોઇએ.અગાઉ પોલીસના મોનોગ્રામ જીલ્લા વાઈઝ અલગ હતા.હાલમાં આ મોનોગ્રામ બંધ કરીને જી.પી.(ગુજરાત પોલીસ) એવા મોનોગ્રામ કરવામાં આવેલ છે.જે યોગ્ય નથી કારણ કે કોઈપણ પોલીસ સ્ટાફ તપાસમાં આવે કે હાઇવે ચેકીંગ કરે કે કોઈપણ વિસ્તારમાં પેટ્રોલીંગ કરે ત્યારે પ્રજાને જાણ નથી થતી કે આ કયાડની પોલીસ છે ? ભુતકાળમાં જીલ્લા વાઈઝના મોનોગ્રામ હતા. જેમ કે રાજકોટ પોલીસ, રાજકોટ સીટી, રાજકોટ રૂરલ કે ભાવનગર જીલ્લા વાઈઝ મોનોગ્રામ આપવામાં આવતા હતા.હાલમાં દરેક પોલીસના સોલ્ડરમાં જી.પી. લખેલ મોનોગ્રામ આપવામાં આવેલ છે.જેમા ફેરફાર કરવો અતયંત જરૂરી છે. જેથી પ્રજાને સરળતા રહે તે હેતુથી ફરી જીલ્લા વાઈઝ મોનોગ્રાફ રાખવા પી.પી.જોષીએ વિનંતી કરેલ છે.





Latest News