મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ


SHARE







મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ

મોરબીમાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં હાલ બિરાજતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં અવનવા ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ત્યારે ગુરૂદેવ દ્વારા આગામી તા.૨૮ ને ગુરુવારે બકરી ઇદ હોઈ 'અહિંસા પરમો ધર્મ', 'જિયો ઔર જીને દો' ની ભાવના રાખવા વાળા દરેક ભાવિકોને આ દિવસે અબોલ જીવોની અનુકંપા, પ્રાર્થના , સંવેદના માટે એક આયંબિલ તપ કરી 'કરુણા દિવસ' તરીકે મનાવવાની પૂ આચાર્યશ્રી એ પ્રેરણા કરી છે.તેથી સર્વે જૈન શ્રાવક શ્રાવિકાઓ બકરી ઇદના દિવસે એક આયંબિલ તપ કરીને અથવા આયંબિલ ન કરી શકે તેઓએ આ દિવસે ભોજનમાં સફેદ વસ્તુનો ત્યાગ કરીન્ અબોલા જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. તેમજ તા.૨૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે પૌષધ શાળામાં ગજસુકુમાર સમભાવ સામાયિકનું આયોજન કરવામાં આવેલ હોય તમામ લોકોએ સફેદ વસ્ત્રોમાં અને સામાયિક ઉપકરણ સાથે લઈ આવવું તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News