મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો


SHARE







વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો


હુમલામાં રાજેશભાઈ પરમારને વધુ ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ-છરીથી હુમલો કરાયો હતો. હુમલામાં રાજેશભાઈ પરમારને વધુ ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આંબેડકર નગર શેરી નંબર-૪ માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૦) ગઈકાલે રાત્રે નવેક વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે હતા.ત્યારે કરણ અને સાહિલ તેમજ તેમની સાથેના અજાણ્યા માણસોએ પાઇપ અને છરી વડે હુમલો કરતા રાજેશને માથે અને શરીરે ઈજા થતાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.
રાજેશભાઈ અને પરિવારજનોએ જણાવ્યા મુજબ, રાજેશભાઈ ગઈકાલે જોડીયા ગયા હતા.ત્યાંથી તેમના ભાઈના સાળા રોહિત ગીરીશભાઈ ચાવડા(ઉંમર વર્ષ ૨૫) સાથે પરત બાઈક ઉપર બેસીને વાંકાનેર આવ્યા હતા.ઘરે પહોંચતા સામેવાળા લોકોએ હુમલો કરી દીધો હતો.
પહેલા બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું.જૂની કોઈ માથાકૂટમાં હુમલો થયાનું અનુમાન છે.રાજેશભાઈ બે ભાઈ અને ત્રણ બેનમાં નાના છે. તેને સંતાનમાં એક પુત્ર છે.સાત મહિનાથી બીમાર હોવાથી તેઓ હાલ કોઈ કામ ધંધો કરતા નથી. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.






Latest News