મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને 30થી 35 ટકાના વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, 3 સામે ફરિયાદી


SHARE











વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને 30થી 35 ટકાના વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, 3 સામે ફરિયાદી

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવાનને વર્ષ 2024 માં કર્મચારીનો પગાર કરવા તથા તેના ભાઈની સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેને 30 થી 35 ટકા ના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને બાદમાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો હતો અને સમયાંતરે જુદા જુદા ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા તેઓને પાછા આપી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તથા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

વાંકાનેરના રાતા વીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવીણભાઈ હરખાભાઈ ઉકેડીયા (26)એ હાલમાં અજયભાઈ રમેશભાઈ અબાસણીયા રહે. રાતાવિડા, બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઈ ગીગોરા રહે. લાકડધાર અને હિતેશભાઈ મગનભાઈ પટેલ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓને મજૂરનો પગાર ચૂકવવા અને ભાઈની સારવાર માટે વર્ષ 2024 માં રૂપિયાની જરૂર પડતા તેઓએ અજયભાઈ પાસેથી 3 લાખ રૂપિયા 30 થી 35 ટકાના વ્યાજે લીધેલા હતા અને વ્યાજ તથા પેનલ્ટીની રકમ ઉમેરીને ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ કુદરતની બીક રાખીને મૂળ રકમ લઈ લેવા કહ્યું હતું અને તે સમયે અજયભાઈએ ફરિયાદીને  છરીના ઘોડદા મારી દેવાની ધમકી આપીને છરી અડાડી હતી અને 5 લાખ રૂપિયા કઢાવી લીધા હતા આમ અજય ભાઈને વ્યાજ પેટે 30 લાખ રૂપિયાના મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી છતાં પણ તેની પાસેથી વ્યાજનું વ્યાજ ગણીને વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને પઠાણી ઉઘરાણી કરીને ઘર વેચીને નાણા ચુકવવા ધાધમકી આપવામાં આવતી હતી

દરમિયાન ફરિયાદીએ બીજલભાઇ પાસેથી દોઢ લાખ રૂપિયા 35 ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે આશરે 5 લાખ રૂપિયા જેટલું વ્યાજ તથા મુદલ ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.20 લાખ રૂપિયા દેવા માટે ફરિયાદી અને તેના છોકરાઓને મારી નાખવાની ધમકી આઈ હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી બાઇક નંબર જીજે 36 બીસી 0783 જેની કિંમત 98,681 હપ્તેથી લેવડાવીને બાઈક બળજબરીથી બીજલભાઇપડાવી લીધું હતું અને 20  હજાર રૂપિયા દેવાના બાકી તેવું કહી ફરિયાદીના ઘરે જઈને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી જ્યારે આરોપી હિતેશભાઈ પટેલે ફરિયાદીના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેન્કમાં ગીરવે પડેલા તે છોડાવીને વગર વ્યાજે 3.56 લાખનું ધિરાણ કરી ફરિયાદીએ દાગીના છોડાવતા આરોપીએ ફરિયાદીને આ રૂપિયા ઉપર વ્યાજ આપવું પડશે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્નીના સાડા ત્રણ તોલાના દાગીના પડાવી લઈ ઊંચું વ્યાજ ગણીને 8,00,000 ની માંગણી કરી હતી આમ જુદા જુદા સમયે ત્રણેય વ્યક્તિઓએ યુવાનને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News