મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ
વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી
SHARE
વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી
મોરબીમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે અને તેમાં હાલમાં સિંચાઈ માટે થઈને પાણી છોડવામાં આવેલ છે જો કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી જેથી કેનાલમાં પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને હાલમાં રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક કેનાલ ઓવરફ્લો થઈ હોવાથી વગર વરસાદે રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે
મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતો ચોમાસાનું આગોતરું વાવેતર કરી શકે તે માટે તેને દર વર્ષે મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ કેનાલ મારફતે મોરબી અને માળિયા તાલુકાના કુલ મળીને 17 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે જોકે કેનાલની યોગ્ય રીતે સાફ-સફાઈ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે. જેથી હાલમાં છેવાડાના ગામ સુધી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું નથી તેવામાં રાત્રિ દરમિયાન મોરબી નજીક આવેલ રવાપર ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલ ઓવરફ્લો થઈ હતી અને રસ્તા ઉપર લગભગ અડધાથી એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ રોડ ઉપરથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
વધુમાં મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય લાલતિભાઈ કસૂન્દ્રાએ જણાવ્યુ હતું કે, એક બાજુ મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો કેનાલમાંથી તેઓને સિંચાઈ માટેનું પાણી મળે અને તેઓ કપાસ સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી શકે તે માટેનું આયોજન કરી રહ્યા છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓને કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી અને બીજી બાજુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલની અંદર સફાઈ કરવામાં આવી નથી તેમજ કેનલના સાઈફનમાં પણ કચરા ભરાયેલા હોવાના કારણે હાલમાં કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારી અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે જો આકરા પગલાં લેવામાં આવે તો જ પાણીનો બગાડ થતો અટકે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેવું હાલમાં ખેડૂત સહિતના લોકો કહી રહ્યા છે