મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના વાલ્મીકિ વાસમાં રહેતો યુવાન જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબીના વજેપર શેરી નં.5 પાસે આવેલ વાલ્મિકી વાસમાં રહેતા પરેશભાઈ રસિકભાઈ પઠાણ (26) નામનો યુવાન કોઈપણ કારણોસર જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એચ. પરમાર ચલાવી રહ્યા છે