મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત


SHARE







હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત

કચ્છના રાપર ગામે રહેતી યુવતીએ જે યુવાનની સાથે મૈત્રી કરાર કરેલ હતા તેની સાથે રહેતી હતી અને તે યુવતીને તેનો ભાઈ અને પરિવારજનો લેવા માટે આવે છે તેવી બીક અને ભય હતો જેથી કરીને યુવતી અને યુવાને હળવદના રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હોય આ બનાવની મૃતક યુવતીના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ પાટણ જિલ્લાના બામરોલી ગામના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર ખાતે પ્રાગપર ચોકડી પાસે મારુતિ શોરૂમની પાછળના ભાગમાં આવેલ શાકમાર્કેટ સામે છાપરામાં રહેતા શોભનાબેન હસનભાઈ મદારી (23) તથા માલદેવભાઈ ભુપતભાઈ પલાર (23) રહે.કવાડિયા હળવદ બંનેએ રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની મૃતક યુવતીના ભાઈ સૌરભ હસનભાઈ મદારી (27) રહેપ્રાગપર ચોકડી પાસે રાપર કચ્છ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે શોભાબેનમાલદેવભાઈ સાથે ભાગીને મૈત્રી કરાર કરેલ છે અને તેઓ બંને સાથે રહેતા હોય શોભાબેનને તેના ભાઈ અને પરિવારના સભ્યો લેવા માટે આવે છે તેવી બીક હતી.જેથી કરીને શોભાબેન અને માલદેવભાઈ બંનેએ પોતે પોતાની જાતે તા.8/7 ના રોજ ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવમાં શોભાબેનનું મોત નીપજ્યું છે

ફિનાઇલ પી લીધું

વાંકાનેરમાં અમરસિંહ હાઇસ્કુલ પાસે નવીનભાઈ પ્રવીણભાઈ જેઠીયા (26) નામના યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News