મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા
SHARE
મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા
મોરબી પાંજરાપોળ (મકનસર)મોરબીના આયોજનથી પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે એક વિશેષ ચર્ચા સભા, વક્તવ્ય અનેં પ્રશ્નોતરીનું આયોજન કરેલ છે.જેમાં સૌ ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ, શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓને પધારવા જાહેર આમંત્રણ છે.
જેમાં મુખ્ય વિષય તરીકે પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા ઉત્થાન, ગૌ સંવર્ધન અને ગૌ ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભર ગૌશાળા ગૌશાળા એક ઉદ્યોગની દ્રષ્ટિએ રહેશે.જેમાં અતિથિ વિશેષ તરીકે રાજયમંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજરી આપશે.તેમજ મુખ્ય વક્તા તરીકે અશ્વિનભાઇ જીવાણી (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ-ગૌ વિશ્વવિદ્યાપીઠમ્,), "સક્ષમ" પ્રાંત ઉપાધ્યક્ષ, NCERT મેમ્બર માહીતી આપશે.કાર્યક્રમની વિગત જોઇએ તો તા.૧૮-૭ ને શનિવારે બપોરે ૩ થી ૭ મોરબી પાંજરાપોળ મકનસર તા.જી.મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.તેમ મોરબી પાંજરાપોળ ગૌશાળા-મકનસરના ચેરમેન તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓએ યાદીમાં જણાવેલ છે.









