મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી પરણીતાએ પ્રેમ લગ્ન કરેલા હોય તે પોતાના વતન ડુંગરપુર ગામે તેના પતિ સાથે કારમાં ગઈ હતી ત્યારે પરણીતાના ભાઈએ તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા લતાબેન અનિલભાઈ આકરીયા (27)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન હનુભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ સાતેક વર્ષ પહેલા અનિલભાઈ આકરિયા સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે બાબતનો ખાસ રાખીને તેઓના મોટાભાઈ આરોપી અશ્વિનભાઈતા. 9/7 ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેમના પતિ કાર લઈને ડુંગરપુર ગામે આવ્યા હતા ત્યારે લાકડાના ધોકો લઈને ત્યાં આવીને ફરિયાદી તથા તેના પતિને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના ભાઈની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા પ્રેમજીભાઈ રતનસીભાઈ ગઢીયા (72) નામના વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા દાનસિંગ ગુલસિંગ નીનામા (40) નામના યુવાનને કોઈ કારણોસર ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 






Latest News