મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ


SHARE







હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ

હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હતી જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે તપાસ દરમ્યાન હાલમાં ભંગારને ડેલમાંથી ચોરી કરેલ ખાટલાનો ભંગાર મળી આવેલ હોય લોખંડના ખાટલાનો ભંગાર લેનારા વેપારી તેમજ ચોરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે જો કે, એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે હળવદ અમદાવાદ હાઇવે રોડ ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં સ્મશાન આવેલું છે અને ત્યાં તસ્કરોએ ધામા નાખીને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રાખવામાં આવેલ લોખંડના ખાટલાની ચોરી કરી હતી જેથી 50,000 રૂપિયાની કિંમતના લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં હકીકત મળી હતી કે, સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી હિંમત કાનજીભાઈ પરમાર રહે . બસ સ્ટેશનની પાછળ હળવદ તથા કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાએ કરી છે અને આ ચોરી કરેલા લોખંડના ખાટલાનો ભંગાર હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાં વેચાણ કર્યો છે જેથી પોલીસ દ્વારા ભંગારના ડેલામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી સ્મશાનમાંથી ચોરી કરવામાં આવેલ લોખંડના ખાટલાનો ભંગાર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો લોખંડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરનારા આરોપી હિંમત કાનજીભાઈ પરમાર રહે. હળવદ તથા ભંગારની ખરીદી કરનારા વેપારી પૂનમભાઈ દેવજીભાઈ મકવાણા રહે. હળવદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાને પકડવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News