મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ કાબુમાં આવી !: આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ


SHARE







મોરબી: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ કાબુમાં આવી !: આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેતા 9 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને હાલમાં સ્થળ ઉપર બળેલી મગફળી હટાવવામાં આવી છે અને આખા ગોડાઉનને તોડી પાડવામાં આવેલ છે જો કે, આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ છે.

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

આ આગને સો ટકા કાબૂમાં લેતા ફાયરની જુદીજુદી ટીમોને 9 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અને જેમ જેમ મગફળીની જીઆઇ ગુણી હટાવવામાં આવે તેમ તેમ નીચેના ભાગમાંથી આગ બહાર આવતી હતી જેથી ફાયરના વાહનોને સ્થળ ઉપર રાખીને 9 દિવસ સુધી આગ ઉપર સતત પાણીનો મારો કરવામાં આવેલ હતો ત્યારે આગ કાબુમાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે જો કે, આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને તાલુકા પીઆઇ પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ 9 દિવસ પછી પણ આગ લાગવાનુ કારણ આજની તારીખે પણ અકબંધ છે.






Latest News