મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ


SHARE











મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ

મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ કરી હતી ત્યારે દારૂ બિયરની ૩૮ બોટલ સાથે આધેડ ઝડપાતા તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મરનસર ગામે ચામુંડા માતાજીના મંદિરની પાસે રહેતા જીતેન્દ્ર દલપતભાઈ મકવાણા નામના ૫૩ વર્ષીય આધેડના રહેણાંક મકાનમાં દારૂ-બિયરનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળી હતી જેને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોઢાણિયાની સૂચનાથી સ્ટાફની માણલોએ વહેલી સવારે મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ કિંમત રૂા.૪૩૫૦ અને બીયરના ૨૪ ટીન કિંમત રૂા.૨૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ-બીયરની ૩૮ બોટલ કિંમત રૂા.૬૭૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં જીતેન્દ્ર દલપત મકવાણા નામના ૫૩ વર્ષીય જુના મકનસર ગામે રહેતા આધેડની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જે અંગેની આગળની તપાસ જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે.

યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પરાગભાઈ અરવિંદભાઈ મોદી નામના ૩૪ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં મોડીરાત્રીના બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. જ્યાં મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી હાલમાં તપાસ અધિકારી વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઈજા

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણરાજ જીતેન્દ્રસિંહ ઝાલા દરબાર નામના ૨૩ વર્ષીય યુવાનને તા.૨૭-૬ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા દરિયા કાંટા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ચરણરાજ ઝાલાને સારવારમાં લઈ જવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ

 






Latest News