ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત

મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવેલ છે કે ગુજરાતમાં ગ્રાહક તકરાર અંગેના કેસો કે જેને નિવારણ માટે ગ્રાહક તકરાર કમિશનમાં મૂકવામાં આવે છે ત્યાં તેમજ જિલ્લાકક્ષાએ મૂકવામાં આવેલા કેસોના ત્રણ-ત્રણ વર્ષ સુધી જજમેન્ટ આવતા નથી..! તે માટે યોગ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે.

વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કરેલી રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે, સરકારે 'જાગો ગ્રાહક જાગો' યોજના બહાર પાડી છે જે ખૂબ જ સારી છે જેના લીધે ગ્રાહકોમાં જાગૃતિ આવી છે અને ગ્રાહક અદાલતોમાં જઈને ગ્રાહકોને થયેલ અન્યાય માટે કેશ દાખલ કરાવીને ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે.પરંતુ ગ્રાહકોની તે કમનસીબી છે કે ત્રણ-ત્રણ વર્ષ સુધી તેઓને ન્યાય મળતો નથી..! સરકારનો અભિગમ છ મહિનામાં ન્યાય મળે તેવો છે પરંતુ ગુજરાતમાં હાલ લાંબા સમય સુધી ગ્રાહકોને ન્યાય મળતો નથી જેથી હવે ગ્રાહકોનો 'જાગો ગ્રાહક જાગો' ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.રાજકોટ જિલ્લામાં હાલ મહિનામાં ચાર વખત જ ગ્રાહક તકરાર કોર્ટમાં જજ બેસે છે અને જુદાજુદા જિલ્લાઓમાં અધિકારીઓને જવાનું હોવાથી રાજકોટમાં આવી પરિસ્થિતિ છે. તો ગ્રાહકોને સમયસર તેણે કરેલી ફરિયાદનો ઝડપી ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે અને 'જાગો ગ્રાહક જાગો' યોજનાને સફળ બનાવવા માટે જવાબદાર લોકોને સૂચના આપવામાં આવે તેવી માંગ અહીંના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાગરિક પુરવઠા વિભાગના નરેશભાઈ પટેલ, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાને પણ આ અંગે માહિતગાર કરાયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News