મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે
મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર
SHARE
મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામ નજીકના ત્રિમંદિરમાં મોડી રાત્રિના ત્રણ ઈસમો ચોરીના ઈરાદે મંદિરમાં ત્રાટક્યા હતા અને ત્રિમંદિરમાં રહેલ વોચમેને તેઓને પડકારતાં ઈસમોએ તેને માથામાં ધોકો ફટકારીને ઇજા પહોંચાડી હતી અને જે હાથ લાગ્યું તે લઈને ભાગ્યા હોવાની જાણ થયેલ છે જોકે સીસીટીવી હોવા છતાં પણ ઉપરોક્ત લુંટની ઘટનામાં હાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ત્રી-મંદિરમાં બુધવારની રાત્રીના ત્રણેક ઇસમો ચોરીના ઇરાદે મંદિરમાં ઘુસ્યા હતા.જો કે નાનીવાવડી ગામના રહેવાસી અને ત્રિમંદિરમાં વોચમેન તરીકે કામ કરતા જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવાએ તસ્કરોને પડકાર ફેંકતા તેમના માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોવા છતાં હાલ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઇ ખોખર (૫૮) અને શરીફાબેન યુસુફભાઈ ખોખર બાઈકમાં જતાં હતા.ત્યારે રાજકોટ રોડ ઉપર લજાઇ નજીકના રીકોન કલોક પાસે તેઓના બાઇકને અકસ્માત થતાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક બાઇક અને બોલેરો વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાં જ રહેતા રાજુ ભારસિંગ મેડા આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.