મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે ઝેરી દવા પી ગયેલ પરણિતાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના નાગડાવાસ ગામે ઝેરી દવા પી ગયેલ પરણિતાનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં પરિણીતાને મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડવામાં આવી હતી જયાં ટૂંકી સારવાર દરમિયાન આદિવાસી પરણિતાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં ગુંગણ જવાના રસ્તે અજીતભાઈ મિયાત્રાની વાડીએ રહીને ખેત મજૂરીકામ કરતાં આદિવાસી પરિવારની કવિતાબેન રસિકભાઈ ડામોર નામની ૨૫ વર્ષીય પરણીતાએ ગતરાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને કવિતાબેન ડામોરને સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે અને હાલ તપાસ તાલુકા પીએસઆઇ વી.કે.કોઠીયાને સોંપવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક કવિતાબેન રસિકભાઈ ડામોરનો લગ્નગાળો પાંચ વર્ષનો હતો તેને સંતાનમાં બે બાળકો હતા તેમજ સાસુ-સસરાની સાથે સંયુક્ત પરિવારમાં રહીને મજૂરી કામ કરતા હતા દરમિયાનમાં ગત રાત્રીના તેણીએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.હાલ કયા કારણોસર તેણીએ અંતિમ પગલું ભર્યું..? તે તપાસનો વિષય છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સિલ્વર પાર્ક જુના ઘુંટુ રોડ વિસ્તારમાં રહેતો અરજણ મુકેશભાઇ દેગામા નામનો ૧૭ વર્ષીય યુવાન પોતાના મિત્રને ત્યાં માવના ગામે લગ્ન પ્રસંગ સબબ ગયો હતો અને પરત આવતો હતો ત્યારે રસ્તામાં આમરણ પાસે તેનું બાઇક બજરંગ હોટલ પાસે ગોળાઇમાં સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા અરજણ દેગામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ઋષિકેશ સોસાયટીમાં આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ખીમજીભાઇ ઘોડાસરા નામના ૩૫ વર્ષીય યુવાને તેના ઘેર ટોયલેટ ક્લીનર પી લેતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં બી ડિવિજન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News