મોરબીના નાગડાવાસ ગામે ઝેરી દવા પી ગયેલ પરણિતાનું સારવાર દરમિયાન મોત
તો વાંકાનેરમાં પણ સુરત વાળી !: કણકોટમાં યુવતીને ભગાડી જવાનું કહીને તેની માતાને યુવાનના ભાઈ-બહેન અને માતાએ માર માર્યો
SHARE
તો વાંકાનેરમાં પણ સુરત વાળી !: કણકોટમાં યુવતીને ભગાડી જવાનું કહીને તેની માતાને યુવાનના ભાઈ-બહેન અને માતાએ માર માર્યો
ગુજરાતમાં એક તરફી પ્રેમમાં સુરત ખાતે યુવતીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી આ બનાવની હજુ શાહી સુકાઇ નથી ત્યાં આવી જ ઘટના બને તેવો ઘાટ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સર્જાયો છે અને વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા પરિવારને તેની પાડોશમાં રહેતો યુવાન ભગાડી ગયો હતો અને ત્યાર બાદ ઘરમેળે સમાધાન થઈ ગયું હતું જો કે, યુવતીની માતા તેની શેરીમાંથી જતી હતી ત્યારે “તારી દીકરીને હજુ ભગાડી જેવી છે” તેવી ધમકી આપી હતી અગાઉ યુવતીને ભગાડી ગયેલા યુવાનની બહેને આપી હતી જેથી કરીને બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવતીની માતાને બે મહિલા સહીત ત્રણ વ્યક્તિએ માર માર્યો હતો અને માથામાં લાકડીનો ધોકો ફટકારવામાં આવતા મહિલાને માથામાં ટાંકા આવ્યા છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલી મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં બે મહિલા સહિત ત્રણની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા હંસાબેન લાલજીભાઈ માલકીયા જાતે કોળી (ઉંમર ૪૫) એ હાલમાં તેઓની પાડોશમાં રહેતા રાજુ મનજીભાઈ તેની માતા લાભુબેન મનજીભાઇ અને બહેન હેતલ મનજીભાઇ રહે. બધા જ કણકોટ વાળાની સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના ઘર પાસે શેરીમાંથી જતાં હતા ત્યારે હેતલ મનજીભાઈએ તેઓને “તારી દીકરીને હજુ ભગાડી જવી છે” તેવું કહ્યું હતું જેથી કરીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હેતલબેન લાભુબેન અને રાજુભાઈએ તેને માર માર્યો હતો અને ત્યારે માથામાં લાકડાનો ધોકો ફટકારતા તેને ટાંકા આવ્યા છે અને આરોપીઓએ તેને ગાળો આપીને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને ભોગ બનેલા હંસાબેન માલકીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેયની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે
વધુમાં ફરિયાદી હંસાબેન માલકીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી લાભુબેનનો નાનો દીકરો નૈમિષ અગાઉ તેની દીકરી પાયલને વીસેક દિવસ પહેલા ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેને લોકો તેને શોધી લાવ્યા હતા અને જે તે સમયે કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી અને પાડોશમાં રહેતા હોવાના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ન હતો પરંતુ હાલમાં નૈમિષના ભાઈ રાજુ તેમજ તેની માતા લાભૂબેન અને બહેન હેતલએ તેની દીકરીને ભગાડી જવી છે તેવું કહીને બોલાચાલી કરીને તેને માર માર્યો છે આટલું જ નહીં પરંતુ ફરિયાદ હંસાબેનની દિકરીની સગાઈ થઈ ગયેલ છે અને જે ઘરે તેની સગાઈ કરવામાં આવી છે ત્યાં પણ આરોપીઓ દ્વારા ફોનથી ધમકી આપવામાં આવી રહી હોવાનું ભોગ બનેલા હંસાબેન પાસેથી જાણવા મળી રહ્યું છે