માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE













વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી તાલુકા પોલીસે વડોદરા પોલીસની સાથે રહીને તપાસ કરતાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલી સગીરાને આરોપી સાથે મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી પકડી પાડવામાં સફળતા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કલમ ૩૬૩,૩૬૬ (અપહરણ) ના ગુનામાં ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ બાવસાવાળું ટેકરા વડોદરા બંને મોરબી તાલુકાના પીપળી ગામ નજીક હોવાની બાતમીને આધારે વડોદરા પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસ તરીકે મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરતાં મોરબીના પીપળી ગામેથી અપહરણનો ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ વડોદરા મળી આવતાં બંનેને તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના ગોપાલનગર વિસ્તારમાં રહેતા નિલેશ કાંતિલાલ પુજારા નામના ૪૮ વર્ષીય યુવાનને રાજકોટના ઢેબર રોડ ઉપર મહેતા પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત નિલેશભાઈ પૂજારાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતાં ગંગારામભાઈ મેરૂભાઈ કોળી નામના ૬૧ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને વજેપર મેઇન રોડ ઉપરથી જતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતાં સાયકલમાંથી પડી જતા ગંગારામભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના ખાણ ખનીજ સુપરવાઇઝર જી.કે.ચંદારાણા તથા સ્ટાફે ગત મોડીરાત્રીના વાહન નંબર આરજે ૩૯ જીએ ૬૭૪૭ તથા વાહનના ડ્રાઇવર પ્રેમસિંહ રઘુવીરસિંહ રાઠોડ રહે.અનેસરીયા તા.લાડનો જી.નાગોર રાજસ્થાનને અટકાવ્યા હતા અને તેઓને પાસેથી ખનીજ પરીવહનના કાગળો માંગ્યા હતા જે ન હોય અને રોયલ્ટી ભર્યા વગર ખનીજ પરિવહન કરવામાં આવતું હોય દંડ વસૂલવા માટે પ્રેમસિંહ રાઠોડને પકડીને વાહનને જપ્ત કરીને દંડ વસૂલવા માટે વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.






Latest News