મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી તાલુકા પોલીસે વડોદરા પોલીસની સાથે રહીને તપાસ કરતાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલી સગીરાને આરોપી સાથે મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી પકડી પાડવામાં સફળતા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કલમ ૩૬૩,૩૬૬ (અપહરણ) ના ગુનામાં ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ બાવસાવાળું ટેકરા વડોદરા બંને મોરબી તાલુકાના પીપળી ગામ નજીક હોવાની બાતમીને આધારે વડોદરા પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસ તરીકે મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરતાં મોરબીના પીપળી ગામેથી અપહરણનો ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ વડોદરા મળી આવતાં બંનેને તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના ગોપાલનગર વિસ્તારમાં રહેતા નિલેશ કાંતિલાલ પુજારા નામના ૪૮ વર્ષીય યુવાનને રાજકોટના ઢેબર રોડ ઉપર મહેતા પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત નિલેશભાઈ પૂજારાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતાં ગંગારામભાઈ મેરૂભાઈ કોળી નામના ૬૧ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને વજેપર મેઇન રોડ ઉપરથી જતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતાં સાયકલમાંથી પડી જતા ગંગારામભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના ખાણ ખનીજ સુપરવાઇઝર જી.કે.ચંદારાણા તથા સ્ટાફે ગત મોડીરાત્રીના વાહન નંબર આરજે ૩૯ જીએ ૬૭૪૭ તથા વાહનના ડ્રાઇવર પ્રેમસિંહ રઘુવીરસિંહ રાઠોડ રહે.અનેસરીયા તા.લાડનો જી.નાગોર રાજસ્થાનને અટકાવ્યા હતા અને તેઓને પાસેથી ખનીજ પરીવહનના કાગળો માંગ્યા હતા જે ન હોય અને રોયલ્ટી ભર્યા વગર ખનીજ પરિવહન કરવામાં આવતું હોય દંડ વસૂલવા માટે પ્રેમસિંહ રાઠોડને પકડીને વાહનને જપ્ત કરીને દંડ વસૂલવા માટે વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.






Latest News