માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં


SHARE













મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં

મોરબીના રંગપર (બેલા) ગામ પાસે આવેલ કારખાનામાં રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ કોઈ ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ રંગપર (બેલા) ગામે આવેલ વોટેરો સેનેટરી નામના કારખાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલામાં શાસ્ત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં રહેતા પરિવારની વિશાખાબેન કિશોરભાઈ રામજીભાઈ ચૌહાણ નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના કવાટરમાં ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ કરતાં ખૂલ્યું હતું કે જમવાનું મોડુ બનાવ્યું હોય તે બાબતે તેના ભાઈએ સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનમાં લાગી આવતા વિશાખાબેન ચૌહાણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રમેશભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં લક્ષ્મીબેન કનુભાઈ નાઇ નામની ૨૨ વર્ષીય વિધવા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

ગાંધીધામ (કચ્છ)ના રહેવાસી ગીરીશભાઈ પ્રધાનભાઈ લાલચંદન નામના ૫૪ વર્ષીય આધેડને મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લવાયા હતા જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારાના મિતાણા ડેમ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલ અકસ્માત બનાવમાં ગત મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઇજાઓ થઇ હોય સાગર ચીનુભાઇ મુળીયા (૨૩) રહે.કોટડાનાયાણી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથી પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ કાસમભાઈ કંડીયા (૫૫) અને સીફટેન સલીમભાઈ કંડીયા (૨૨) ને ત્યાં જ રહેતા રિઝવાન નામના વ્યક્તિએ માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News