માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?


SHARE













મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?

વર્તમાન સમયમાં દરેક ઉદ્યોગ અને ધંધામાં મંદીની અસર જોવા મળી રહી છે ત્યારે પોતાના ઘરમાં બેસીને હસ્તકલાના થકી અવનવી ચીજ વસ્તુઓ બનવતા કારીગરો માટે હસ્ત કલા મેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, તેમાં અધિકારીઓએ અને કર્મચારીઓની બેદરકારીના લીધે કારીગરોને ઘણી વખત ફાયદો થવાની વાત તો દૂરની છે પરંતુ નુકશાન થાય છે આવો જ ઘાટ મોરબીમાં પણ જોવા મળ્યો છે અને ગુજરાત ભરના કારીગરોને તેમનો માલ લોકોને સરળતાથી વેચવા માટે સરકાર દ્વારા લખો રૂપિયાનો ખર્ચ કરીને હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, આ મેળો ચાલુ થવાનો સમય જે બતાવવામાં આવ્યો છે ત્યારે તો મંડપ સર્વિસનું કામ પણ પૂરું થયું નથી અને જુદાજુદા ગામોથી મોરબીના હસ્ત કલાના મેળામાં આવેલા કારીગરો સહિતના લોકોમાં નિરાશા જોવા મળી હતી આટલું જ નહીં બપોરના એક વાગ્યા સુધી જવાબદાર અધિકારી ત્યાં હજાર પીએન ન હતા અને કારીગરોને સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા ન હતા ત્યારે દાહોદ, સુરત, રાજકોટ, મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી હસ્તકલાના કારીગરો પોતાના હાથે બનાવેલ ઘર સજાવટની આઈટમો લઈને મોરબીના એલ ઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેળામાં પહોચી ગયા છે જો કે, તેઓને સ્ટોલ કયારે આપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News