મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો


SHARE







મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ. હાજીયાણી નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમરોહ સાર્વજનિક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યો હતો ત્યારે સાર્વજનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ), પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સીઆરસી કો. સંદીપભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સીઆરસી કો. બાબુલાલ દેલવાડિયા, પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતન ઉપસ્થિત રહ્યા હતા. અને અશોકભાઈનું શ્રીફળ, પડો, ફૂલહાર, સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, કામિનીબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આચાર્ય વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું.






Latest News