મોરબીના બેલા નજીક બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત
મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ
SHARE
મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી પરણિતાના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા કારખાનામાં હતી ત્યારે તેની આરોપીએ છેડતી કરી હતી અને તેણીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી પરણિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતી પરિણીતા રફાળેશ્વર ગામ પાસે આવેલ નળિયાના કારખાનામાં હતી ત્યારે આરોપી લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મહીલાનું બાવડું પકડીને તેની છેડતી કરીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી કરીને મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.વધુમાં ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની છેડતી કરી હતી.હાલમાં આ ગુનામાં એસટીએસસી સેલના ડીવાયએસપી મુનાફખાન પઠાણ દ્વારા લખનસિંહ પ્રવિણસિંહ ઝાલા જાતે દરબાર (ઉમર ૩૧) રહે.રફાળેશ્વર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
વાહન અકસ્માત અને મારામારીમાં ત્રણને ઇજા
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કચ્છ જીલ્લાના મુન્દ્રાના રહેવાસી ચંદ્રજીત રાજેશ્વર પાલ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ધીરૂ વીરાભાઇ બાવાજી (૪૫) અને વિનું જોખમ ચાવડા (૨૬) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.