વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી


SHARE











મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરદાર-૧ માં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા, કેમેરા, દાગીના સહિત એક લાખના મુદામાલની ચોરી કરેલ છે જો કે, આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામમાં સરદાર-૧ માં રહેતા રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈ જામનગર ગયા હતા જેથી તેનું મકાન બંધ હતું ત્યારે તા૨૭ ની એક રાત માટે બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી રોકડા ૪૦૦૦૦, કેનન કંપનીનો ૪૦૦૦૦ નો કેમેરો, મંગળસૂત્ર સહિતના દાગીના, કપડા સહિત કુલ મળીને એકાદ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર આવી પણ હતી તો પણ હજુ સુધી આ બનાવની કોઈ ફરિયાદ નોંધાઈ નથી






Latest News