મોરબીની નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ સ્પર્ધામાં બન્યા વિજેતા
મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી
SHARE
મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરદાર-૧ માં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા, કેમેરા, દાગીના સહિત એક લાખના મુદામાલની ચોરી કરેલ છે જો કે, આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામમાં સરદાર-૧ માં રહેતા રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈ જામનગર ગયા હતા જેથી તેનું મકાન બંધ હતું ત્યારે તા૨૭ ની એક રાત માટે બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી રોકડા ૪૦૦૦૦, કેનન કંપનીનો ૪૦૦૦૦ નો કેમેરો, મંગળસૂત્ર સહિતના દાગીના, કપડા સહિત કુલ મળીને એકાદ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર આવી પણ હતી તો પણ હજુ સુધી આ બનાવની કોઈ ફરિયાદ નોંધાઈ નથી