હુકમ માત્ર કાગળ ઉપર જ !: મોરબી એસટી ડેપોના દ્રારા અસંખ્ય રૂટ બંધ કરાતા પ્રજા હેરાન
મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો
SHARE
મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો
મોરબીની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે, આઈ.ટી.આઈ.-મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ. મોરબીમાંથી ચિરાગભાઈ ગામી દ્વારા તેમજ શાળાના આચાર્ય વી.બી.જાની, શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલા દ્વારા કેરિયર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ પ્રક્રિયા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.અંતે કેરિયરલક્ષી માહિતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.