ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચૂંટણી ટળી, પ્રમુખ તરીકે હરેશભાઇ બોપલીયા બીનહરીફ


SHARE













મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચૂંટણી ટળી : પ્રમુખ તરીકે હરેશભાઇ બોપલીયા બીનહરીફ

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે થઈને બે ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા.દરમિયાન વડીલોની સમજાવટથી અને ઉદ્યોગકારોના હિતમાં આ ચૂંટણી ન યોજાય તે માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા દરમિયાન આજે મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનારા પ્રદીપભાઈ કાવઠીયાએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતાં ચૂંટણી હાલમાં નહી યોજાઇ અને મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે બિન હરીફ હરેશભાઈ બોપલીયા જાહેર થયા છે 

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હતી અને જેના માટે થઈને ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં હરેશભાઈ બોપલીયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલીયા દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા ચતુરભાઈ પાડલીયાએ પ્રદીપભાઈ કાવઠીયાના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું જેથી કરીને પ્રમુખપદની ચૂંટણી માટે હરેશભાઈ બોપલીયા અને પ્રદીપભાઈ કાવઠીયા બે ચુંટણીના મેદાનમાં હતા અને આગામી સોમવારે મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હતી જોકે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ સિરામિક ઉદ્યોગના વાડીલો દ્વારા ઉદ્યોગના હિતમાં ચૂંટણી ન યોજાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા અને હંમેશની જેમ આ સર્વાનુમતે પ્રમુખની વરણી થાય તેવી લાગણી હતી જેથી કરીને બંને ઉમેદવારને સમજાવવા માટેના પ્રયત્નો ચાલુ હતા દરમિયાન પ્રદીપભાઈ કાવઠીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધેલ છે જેથી કરીને હાલમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે હરેશભાઈ બોપલીયા બિનહરીફ જાહેર થયા છે






Latest News