મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી


SHARE







મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી

ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે જેની અમલવારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં  ૩૪.૩૩ લાખની આવક થયેલ છે

મોરબી પાલિકા દ્વારા વ્યાજ માફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં જે આસામીઓના વેરા વર્ષોથી જમા કરવામાં આવેલ નથી તેના ઉપર ઘણું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકારે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે ત્યારે પાલિકાનું વર્ષો જૂનું માંગણું છૂટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગુરુવારે પહેલા દિવસે આ યોજનાનો લાભ લેનારા આસામીઓને કુલ મળીને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલમાં છે જેથી વધુમાં વધુ બાકીદારો દ્વારા તેનો લાભ લઈને બાકી વેરા જમા કરવવામાં આવે તેવી અપીલ મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે






Latest News