મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં બિઝનેસ ટોકમાં નિલેશભાઈ જેતપરિયાએ એક્સપોર્ટની માહિતી આપી
મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી
SHARE
મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી
ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે જેની અમલવારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે
મોરબી પાલિકા દ્વારા વ્યાજ માફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં જે આસામીઓના વેરા વર્ષોથી જમા કરવામાં આવેલ નથી તેના ઉપર ઘણું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકારે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે ત્યારે પાલિકાનું વર્ષો જૂનું માંગણું છૂટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગુરુવારે પહેલા દિવસે આ યોજનાનો લાભ લેનારા આસામીઓને કુલ મળીને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલમાં છે જેથી વધુમાં વધુ બાકીદારો દ્વારા તેનો લાભ લઈને બાકી વેરા જમા કરવવામાં આવે તેવી અપીલ મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે