મોરબીના નવાગામ પાસે કારખાનામાં પડી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના ચિત્રકૂટ ચોક પાસે ઘરમાં જાત જલાવી લેનાર પરિણીતાનું સારવારમાં મોત
SHARE
મોરબીના ચિત્રકૂટ ચોક પાસે ઘરમાં જાત જલાવી લેનાર પરિણીતાનું સારવારમાં મોત
મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકૂટ ચોકના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને સારવાર માટે મોરબીથી રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયસુખભાઇ કુકરવાડીયા (ઉ.૩૮) ગત તા ૧૦/૨ ના રોજ તેના ઘરે એકલા હતા ત્યારે બાથરૂમમાં જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી તે ગંભીરપણે દાઝી ગયેલ હાલતમાં તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામ આવેલ હતા અને સારવાર દરમ્યાન તેનું તા ૪/૩ ના રોજ રાજકોટ મોત નીપજયું હતું જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની તપાસ એ.એમ. ઝાપડિયા કરી રહ્યા હતા