મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની પાસે માથામાં સળીયો મારીને મારી નાંખવાના પ્રયાસના કેશમા જામીન ઉપર એકનો કોર્ટે છુટકારો કર્યો છે.
મોરબીના સામાકાંઠે પ્રભુકપા ટાઉનશીપ પાસે ત્રણ આદીવાસી મજુરો સાથે ઝઘડો થતા માથામા સળીયો મારીને મારી નાંખવાનો પ્રયાસ કરવાના કેશમાં પોલીસે નરવત રામસીંગ નાયક નામના આદીવાસી મજુરને પકડયો હતો. સળીયો મારીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે કેશ કરાયેલો હતો આ ગુનામાં પોલીસ ફરીયાદ નોધાયેલ.જે કેશમા જામીન અરજીમાં સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળી અહીંના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.ડી.ઓઝાએ હત્યાના પ્રયાસના ગુનાના આરોપી નરવતસિંગ રામસીંગ નાયક જાતે આદીવાસીને હાલ રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેશમા આરોપી તરફેથી અહીંના જાણીતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલા હતા.