મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ
SHARE
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ
મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં આયોજનબદ્ધ મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જોડવામાં આવેલ હતા તેમજ કાયદા મુજબ જાહેરમાં માસ્ક પહેરવું હજુ અનિવાર્ય હોય સૂત્રોચારને બદલે સૂત્ર પ્રદર્શન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો ઉદ્દેશ સૂત્રો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની જાગૃતિ કેળવવાનો હતો એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સૂત્રોનું પ્રદર્શન રેલી દ્વારા મુખ્ય પોઇન્ટ પર કરવામાં આવ્યું હતું આ રેલી દરબાર ગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, રામચોક, જુના બસ સ્ટેશન, ત્રિકોણ બાગ, વીસી ફાટક, મણીમંદિર, નટરાજ થઈને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ એટલે કે સાડા ચાર કિલોમીટર સુધી ચાલેલી હતી આ રેલીમાં બાર બહેનો અને ત્રણ ભાઈઓ જોડાયેલ હતા અને પ્રિન્સિપાલની અનુમતીથી રેલીનું સમગ્ર આયોજન અને નેતૃત્વ એન.એસ.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ હતું









