મોરબીમાં એબીવીપી અને વિનય કરાટે એકેડેમી દ્વારા નારી શક્તિસંમેલન-સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાયો
મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
SHARE
મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રણછોડદાસજી હોસ્પિટલના ડોક્ટરો અને તેમના સ્ટાફ દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો પીપળીયા ચાર રસ્તા અને આજુબાજુના માળીયા તાલુકાના ગામની જનતાએ લાભ લીધો હતો અને આ કેમ્પ સ્વ. દિવાળીબેન કરમશીભાઈ રૂપાલા અને સ્વ. રમણિકભાઈ પોપટભાઈ રાજકોટિયાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો. અને કેમ્પનો ૧૦૧ દર્દીઓ લાભ લીધો હતો તેમજ આ કેમ્પના દાતા કેપિટેક નોન વુવન ઇન્ડીયા પ્રા.લી.ના જયંતીભાઈ રાજકોટિયા રીજિયન-૨ ના ચેરપર્સન રમેશભાઇ રૂપાલા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, પાસ્ટ પ્રમુખ ભીખાભાઈ લોરિયા અને અમૃતલાલ સુરાણી તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા આ નેત્રયજ્ઞ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ ટી.સી.ફુલતરિયા, રીજિયન ચેરપર્સન રમેશ રૂપાલા, લાયન્સ સભ્યો તથા સદગુરૂ આશ્રમ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી