મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કાયમી કુપોષિત બાળકોને પોસ્ટિક આહાર આપવાનો કાયમી પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સહયોગ દ્વારા સતત ચાલે છે તે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રની મુલાકાત લીધી ત્યાંના બાળકોના શારીરીક, માનસિક ,અને આરોગ્ય વિષયક બાબતે સંચાલિકા બેન સાથે ચર્ચા કરીને હંગર પ્રોજેક્ટમાં બાળકોના વજન અને ઉંચાઈ માપવામાં આવ્યા હતા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.બીજો પ્રોજેક્ટ મોટાભેલા માધ્યમીક શાળા અને પ્રાથમિક શાળાની વયસ્ક વિદ્યાર્થિનીઓને મહિલા આરોગ્ય જાણવણી અંતર્ગત સેનેટ્રી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઈ ફુલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા અને ખજાનચી લા.નાનજીભાઈ મોરડીયા હાજર રહ્યા હતા.ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓના આરોગ્યની ચિંતા કરવા બદલ બંને શાળાના શિક્ષકો દ્વારા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાજકોટના કાલાવાડમાં શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન

રાજકોટના કાલાવાડ (શીતલા) ખાતે સર્વે પિતૃના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તા ૨૬/૦૩ થી ૦૧/૦૪ સુધી દરરોજ બપોરે ૩ થી૬ પટેલ વાડી ખોડીયારપરા  ધરમ ચોક ધોરાજી રોડ કાલાવાડ (શીતલા) ખાતે કરાયું છે

આ કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને કથાના વક્તા કલ્પેશગીરી ગોસ્વામી (કેપી બાપુ) સંગીતમય શૈલીમાં પોતાની મધુરવાણીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને તા ૩૧/૦૩ ને ગુરુવારે રાત્રે ૯ કલાકે સંતવાણીનું આયોજન કરેલ છે આ કથામાં જે કોઈ રકમ વધશે તે મુક્તેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે તેવું કથાકાર કેપી બાપુએ જણાવ્યુ છે અને વધુ માહિતી માટે મો ૮૫૧૧૦ ૦૧૮૫૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News