તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પગલા લેવાની માંગ


SHARE











મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પાગલ લેવની માંગ

થોડા સમય પહેલા આપના આગેવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને અવાર નવાર આવી જ રીતે હુમલા કરવામાં આવે  છે ત્યારે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમે આપના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે


મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ.કે.પટેલ, પરેશ પારિઆ સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી “આપ”ના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે જેથી કરીને હુમલાની ઘટનાને મોરબી જિલ્લા આપની ટિમ  સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તમામ બનાવોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે અને જો હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહિંસાના માર્ગે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News