મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા બાબતે થયેલ મારા મારી બાદ નોંધાયેલ સામસામી ફરિયાદમાં આરોપીઓની ધરપકડ
મોરબીના વાવડી રોડે ભંગારના ડેલા પાસે થયેલ મારામારીમાં ત્રણની ધરપકડ
SHARE
મોરબીના વાવડી રોડે ભંગારના ડેલા પાસે થયેલ મારામારીમાં ત્રણની ધરપકડ
મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં નજીવી વાતે મારામારી થયેલ હતી જેમાં સામસામી ફરિયાદો પણ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં એક ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક ભંગારના ડેલા બાજુ બાજુમાં માર મારીનો બનાવ બનેલ હતો જેમાં જુનુસ અબ્દુલ દલવાણી સંધિ (૩૬)એ આરીફ ઈસ્માઇલ દલ, ઈસ્માઇલ દલ, આરીફભાઇના પત્ની, ઇમરાન ઈસ્માઈલ દલ, એઝાઝ ઈસ્માઈલ દલ અને જાવેદ ઈસ્માઇલ દલ રહે. બધા વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી અને લખાવ્યું હતુ કે, આરોપી આરીફે તેઓના ભંગારના ડેલા પાસે એંઠવાડની કુંડી રાખી હોય જે લઈ લેવા માટે કહ્યું હતું જેથી આરીફે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ગાળો પાડવા આપવાની ના પાડતાં લાકડાના ધોકા અને પાવડા વડે તેને તથા અન્ય સાહેદો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ ગુનામાં તપાસ અધિકારી એ.એમ. ઝાપડિયાએ ઇમરાન ઈસ્માઈલ દલ (૩૩), એઝાઝ ઈસ્માઈલ દલ (૩૧) અને જાવેદ સલેમાન દલ (૪૧) રહે. બધા વાવડી રોડ કારીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રઘુભાઈ બચુભાઈ દાહીમાંને લખધીરપુર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ઉર્મિલાબેન નંદલાલભાઇ હરજીભાઈ નામના ૫૩ વર્ષીય મહિલાને બાઇક સાથે અથડામણમાં ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલ શિવમ સિરામિક નજીક રહેતો ગોપાલ અમરશીભાઈ બાબર નામનો ૨૬ વર્ષીય યુવાન બેલા-પીપળી વચ્ચે બાઈકમાં જતો હતો તે દરમ્યાનમાં તે પડી જતાં તેને પણ ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.