વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE















મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીમાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારતા ઘરે આવી કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા (ઉ.40) માનસીક બીમારીથી પીડાતા હોય જે ગત રોજ મહેન્દ્રનગરની બજારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સો સાથે માથાકુટ થતા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.જે બાદ યુવકે ઘરે આવીને પત્નીને કહ્યું કે મને બજારમાં અજાણ્યા શખ્સોએ માર માર્યો છે. જેથી મારે જીવવું નથી કહીને ઘરના રૂમમાં જઈને કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રૂમનો દરવાજો ખોલીને યુવકને તાત્કાલીક સારવારમાં પ્રથમ મોરબી અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સંજયભાઈ શાકભાજી વેંચવાનો ધંધો કરે છે અને સંતાનમાં ચાર પુત્રીઓ છે જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરતા તેના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં થાનમાં રહેતા ભાવેશ અશ્ર્વીન ભલગામા (ઉ.22) ગત રોજ સવારે ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા મુકેશ અને ધ્રુવે તેની સાથે બોલાચાલી કરી પાઈપથી માર મારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News