મોરબીના વાવડી રોડે ભંગારના ડેલા પાસે થયેલ મારામારીમાં ત્રણની ધરપકડ
મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીમાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારતા ઘરે આવી કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા (ઉ.40) માનસીક બીમારીથી પીડાતા હોય જે ગત રોજ મહેન્દ્રનગરની બજારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સો સાથે માથાકુટ થતા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.જે બાદ યુવકે ઘરે આવીને પત્નીને કહ્યું કે મને બજારમાં અજાણ્યા શખ્સોએ માર માર્યો છે. જેથી મારે જીવવું નથી કહીને ઘરના રૂમમાં જઈને કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રૂમનો દરવાજો ખોલીને યુવકને તાત્કાલીક સારવારમાં પ્રથમ મોરબી અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સંજયભાઈ શાકભાજી વેંચવાનો ધંધો કરે છે અને સંતાનમાં ચાર પુત્રીઓ છે જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરતા તેના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં થાનમાં રહેતા ભાવેશ અશ્ર્વીન ભલગામા (ઉ.22) ગત રોજ સવારે ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા મુકેશ અને ધ્રુવે તેની સાથે બોલાચાલી કરી પાઈપથી માર મારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.