મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ


SHARE













મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ

જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક  નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના ૧૩ ગામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તથા પાણી સમિતિ દ્વારા કામો સમયસર પૂર્ણ થાય તે જોવા તાકીદ કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ૨,૫૯,૯૮૪ તેમજ હળવદ તાલુકાના માનસર ગામમાં ૩૬,૩૨,૦૩૧ મળીને કુલે ૩૮,૯૨,૦૧૫ રૂપિયાના કામોને શરતી વહિવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વાકાંનેર તાલુકાના ઓળશેખરડીભેરડાજેપુરમક્તાનપરરાતડીયા તેમજ ટંકારા તાલુકાના ગજાડી ગામના કુલે ૧,૨૭,૦૧,૪૪૬ રૂપિયાના કામોની રીવાઇઝ વહિવટી મંજૂરી બહાલ કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ ૨૦૨૧-૨૨ માં પૂર્ણ થયેલ ૧૪ યોજનાઓના પાણી સમિતિ દ્વારા કરવામાં કામોની વિગતવાર સમીક્ષા કરી હિસાબો વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી અને યોજનાઓ પૈકી કુલ ૧,૯૬,૨૧,૪૪૪ રૂપિયાના કામો પૂર્ણ જાહેર કરવા બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની વડી કચેરીના પરિપત્રો વંચાણે લઇ તેનું નિયમોનુસાર પાલન કરવાગ્રામ પંચાયતની જૂની ટાંકી તોડી પાડવાવિવિધ યોજનાના કામોમાં ખરીદ થતી પાઇપોની ગુણવત્તા અંગે નિયમિત મોનીટરીંગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર ઉપરાંતજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીના જે.આર. મોડવીયાજીડબ્લ્યુઆઇએલ કચેરીના દર્શિત ભટ્ટજિલ્લા માહિતી કચેરીના ભરતભાઇ ફુલતરીયાપાણી પુરવઠા બોર્ડ કચેરીના દિવ્યા પટેલ અને યુનિટ મેનેજર પી.એન. ત્રિવેદી હાજર રહ્યા હતા.






Latest News