મોરબીના ઉદ્યોગકારો દેશને સક્ષમ ભારત બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી
મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
SHARE
મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા ચૈત્ર સુદ-૨ ને તા.૩-૪ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે.જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજાનો મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
વાંકાનેરમાં શનિવારે ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન
વાંકાનેરમાં શનિવારે ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરીયેલ છેે.જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.૨ ને શનિવારના રોજ વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર તેમજ નિયામક આયુષ કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ કેમ્પનું આગામી તા.૨ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન ઈયોજન કરાયુ છે.કેમ્પ ઉમેદચંદભાઇ તથા કસુંબાબેન મહેતા પુસ્તકાલય, બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર ખાતે યોજાનાર છે.તેમાં વિવિધ રોગોના ઉપચાર સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.નામ નોંધાવવા જરૂરી છે અને નામ નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.









