મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહીને બે શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રામ મંદિર પાછળ ધારશીભાઈ કોળીના મકાનમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉ.૨૯)એ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા રહે બંને કેરાળા તાલુકો વાંકાનેર વાળની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેકેરાળા ગામમાં બાલુભાઈ મુસલમાનની દુકાન પાસે તે હતો ત્યારે તેનું બી.પી.એલ. મકાન કેરાળા ગામે આવેલ છે જે મકાન વેચવાની તેને પોતાના પિતાને ના પડી હતી જેથી કરીને આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહેતા ફરીયાદીએ મકાન બી.પી.એલ.માં આવ્યું હોય વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવુ નથી તેમ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ તેને લાકડી વતી ડાબી બાજુ પેટના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ 






Latest News