મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ


SHARE













મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતનાં પ્રવાશે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પણ ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગામી ૧૨/૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મિટિંગમાં હાજર રહેવા માટે મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો સહિતના મોરબીના ઉદ્યોગકારોને કેજરીવાલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના  પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા  મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારોને આવવા માટે અનુરોધ કરેલ  છે અને જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામઉદ્યોગનું નામ મોકલી આપવા જણાવ્યુ છે તે મુજબનો સમય ઉદ્યોગકારોને આપવામાં આવશે અને ઉદ્યોગકારોએ પોતાની વિગત ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર મોકલવી આપવા માટે આમ આસામી પાર્ટીના નેતા પરેશભાઈ પારીઆએ જણાવ્યુ છે 




Latest News