મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE











હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે બે રહેણાંક મકાનની અંદર ચોરી કરવામાં આવી હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે અને તસ્કરો ૮૦,૫૦૦ નો મુદામાલ ચોરી કરી ગયા છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરવા માટે આવેલા શખ્સને ગઈકાલે સ્થાનિક લોકો દ્વારા પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ચરાડવામાં બે મકાનની અંદર ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે જેમાં ચરાડવા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં રમણીકભાઈ ધનજીભાઈ સોનાગ્રા (૩૨) એ જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૫ ના રાત્રિના એક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ચાર વાગ્યા સુધીમાં તેઓના ઘરની અંદર દરવાજાના તાળા તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને કબાટના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તેઓના ઘરમાંથી તેમજ તેની બાજુના અન્ય એક વ્યક્તિના ઘરમાંથી કુલ મળીને ૩૦,૫૦૦ રૂપિયા અને ૪૭૦૦૦ ના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૮૦૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના ત્રાજપર પાસે આવેલી યોગીનગરમાં બે શખ્સો દ્વારા નિસીત રાઘવજીભાઇ વરાણીયા રહે. ઘુટુ રોડ સિલ્વર પાર્ક વાળાને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News