મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે શેઢાની તકરારમાં વૃદ્ધ-તેના દીકરા ઉપર દાતરડા-લાકડી વડે હુમલો


SHARE













ટંકારાના બંગાવડી ગામે શેઢાની તકરારમાં વૃદ્ધ-તેના દીકરા ઉપર દાતરડા-લાકડી વડે હુમલો

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ખેતરે કામગીરી કરી રહેલા વૃદ્ધ અને તેના દીકરા ઉપર પાડોશમાં ખેતર ધરાવતા પિતા પુત્રએ દાતરડા અને લાકડી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધ અને તેના દીકરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કરસનભાઈ હરિભાઈ પંડ્યા (ઉંમર ૬૨) અને જીતેન્દ્રભાઈ કરસનભાઈ પંડયા (ઉંમર ૩૫) પોતાના ખેતરે કામગીરી કરી રહ્યા હતા દરમિયાન તેઓની બાજુમાં ખેતર ધરાવતા શાંતિભાઈ ઉગાભાઇ પડાયા અને તેના દીકરા રવિ શાંતિભાઈ પડાયાએ દાતરડા અને લાકડી વડે હુમલો કર્યો હતો અને કરસનભાઈ પંડ્યા તેમજ તેના દીકરા જીતેન્દ્રભાઈ પંડ્યાને દાતરડા અને લાકડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલા વૃદ્ધ અને તેના દીકરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે કરસનભાઈના બીજા દીકરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શેઢા તકરાર બાબતે તેના પિતા અને ભાઈ ઉપર પાડોશમાં ખેતર ધરાવતા શાંતિભાઈ અને તેના દીકરા રવિએ હુમલો કર્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે








Latest News