માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 


SHARE

















મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 

 

મોરબીના હળવદ તાલુકામાં સરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં પાણી ભરવા જતાં સમયે પગ લપસી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજેલ છે. હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં પાણી ભરવા માટે ગયેલા ચેતનસિંહ જગદીશસિંહ ગોહિલ દરબાર (૩૬) ધંધો ખેતી હાલ રહે. હળવદ હરીનગર ગોલ્ડ સરા રોડ મૂળ રહે.મૂળ રહે મગલાણા તાલુકો શિહોર જી.ભાવનગર કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને ચેતનસિંહ ગોહિલનું મોત નિપજેલ છે બનાવ અંગે મૃતકના સંબંધી મહેન્દ્રસિંહ ગોહિલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના શકત શનાળા ગામના રહેવાસી મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલા નામનો ૩૮ વર્ષીય યુવાન ગઇકાલ તા.૧૯ ના ૭:૩૦ વાગ્યે લક્ષ્મીનગરના ઓવરબ્રીજની પાસેથી પગપાળા જતો હતો ત્યારે ત્યાં કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રત થયેલા મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ બનાવની આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના આમરણ ગામે આવેલ એસવીએલ કન્ટ્રકશન નામના યુનિટના લગાવવામાં આવેલા કેમ્પમાં સાપ કરડી જવાથી નિરવકુમાર વૃંદાવનકુમાર નામના ૨૮ વર્ષીય યુવાનને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક નજીક બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં મોરબીના પ્રેમજીનગરના દિનેશ કાનજીભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.




Latest News