રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત


SHARE







ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત

ટંકારા તાલુકાના દેવડીયા ગામ પાસે આવેલ જિનિંગ મિલના માલિક ઉપર દેણું વધી ગયું હતું જેથી કરીને તેના ટેન્શનમાં આવી જતા પોતાના જ કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને યુવા ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો જેથી તેના પરિવારજનો દ્વારા આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં આવેલ દેવડીયા ગામે રહેતા મયુરભાઈ હીરાભાઈ ભાલોડીયા જાતે પટેલ (ઉંમર ૩૨) એ દેવડીયા ગામ પાસે આવેલ પોતાના શ્રી કેટેક્ષ જીનીંગ ફેક્ટરી નામના કારખાનાની ઓફિસમાં ગઈકાલે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વઘેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક મયુરભાઈ હરિભાઈ ભાલોડીયા શ્રી કેટેક્ષ જિનિંગ મિલના કરતા હર્તા હતા અને તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બે કરોડ રૂપિયાનું દેણું ચડી ગયું હતું તેમજ પાંચ કરોડ રૂપિયાની બેંકની લોન લીધેલ હોય બેંકમાંથી ગઈકાલે ઓડિટ માટે થઈને ફોન આવ્યો હતો જેથી ટેન્શનમાં આવી જતા મયુરભાઈ હરિભાઈ ભાલોડીયાએ પોતાના કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી જીનિંગ મિલ બંધ હતી અને મૃતક મયુરભાઈ ભાલોડીયાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં ૧૦ માસનો એક દીકરો છે હાલમાં ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુભાઈ આહિરવાર (૪૫)નું કોઈ બીમારી સબબ તેના કવાર્ટરની અંદર જ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતક રાજુભાઈ આહિરવારના ભાઈ ગબ્બરભાઈ ફૂલ્લેભાઈ આહીરવાર (૪૨) રહે. મધ્યપ્રદેશ વાળાએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News